"કાવ્યાશિષ એકેડેમી" Education is a process in which and by which knowledge and behavior of a person are molded. About-Us Donate Now! YouTube Chanel

ગુજરાત ની ભૌગોલિક સ્થિતિ // gujarat ni bhaugolik stiti

ગુજરાત ની ભૌગોલિક સ્થિતિ // gujarat ni bhaugolik stiti

 ગુજરાત ની  ભૌગોલિક સ્થિતિ // gujarat ni bhaugolik stiti

ચાલો મિત્રો  ગુજરાત  વિશે જાણીએ  .. 

 →1 મે, 1960ના રોજ ગુજરાત રાજ્યનું ઉદ્ઘાટન રવિશંકર મહારાજના હસ્તે સાબરમતી આશ્રમ, અમદાવાદ ખાતે કરવામાં આવ્યું હતું. માટે ,1 મે ગુજરાત સ્થાપના દિવસ / ગુજરાત ગૌરવ દિવસ તરીકે ઊજવવામાં આવે છે


ગુજરાત ની  ભૌગોલિક સ્થિતિ // gujarat ni bhaugolik stiti


અક્ષાંશ : 20°.6‘ થી 24°.07' ઉ. અક્ષાંશ
રેખાંશ : 68°.10' થી 74°.28' પૂ. રેખાંશ

નોંધ : - 
 ધોરણ - 6 સામાજીક વિજ્ઞાન (આવૃત્તિ-2020) પેજ નં. 71 પ્રમાણે ગુજરાત રાજ્ય 20°.1' ઉત્તર અક્ષાંશવૃત્તથી 24°.4' ઉત્તર અક્ષાંશવૃત્ત અને 68°.4' પૂર્વ રેખાંશવૃત્તથી 74°.4' પૂર્વ રેખાંશવૃત્ત વચ્ચે વિસ્તરેલું છે

વર્તમાનમાં ક્ષેત્રફ્ળની દૃષ્ટિએ ભારતમાં ગુજરાતનું સ્થાન ૫ માં નુંબરે છે  

રાજસ્થાન (3,42,239 sq km)
મધ્ય પ્રદેશ (3,08,252 sq km) 
મહારાષ્ટ્ર (3,07,713 sq km)
ઉત્તર પ્રદેશ (2,40,928 sq km) 
ગુજરાત (1,96,024 sq km)

ગુજરાત નું ક્ષેત્રફળ :

1,96,024 ચો.કિમી. (75.686 ચો.માઈલ, ભારતના કુલ વિસ્તારના 5.96%)
ઉત્તર-દક્ષિણ લંબાઈ : 590 કિમી
પૂર્વ-પશ્ચિમ પહોળાઇ: 500 કિમી.
ગુજરાત ભારતના પશ્ચિમ ભાગમાં અરબ સાગરના દરિયાકિનારે આવેલું છે.

કર્કવૃત્ત : (23.5 ઉ. અક્ષાંશ)

કર્કવૃત્ત ગુજરાતના ઉત્તર ભાગમાંથી 6 જિલ્લામાંથી પસાર થાય છે.

 → જે પશ્ચિમથી પૂર્વ ઉતરતા ક્રમ મુજબ :-
(1) કચ્છ
(2) પાટણ 
(2) પાટણ 
(4) ગાંધીનગર 
(5) સાબરકાંઠા 
(6) અરવલ્લી

 → કર્કવૃતને બે વાર ઓળંગતી મહીનદી ભારતની એકમાત્ર નદી છે 

કર્કવૃત પર આવેલાં મુખ્ય સ્થળો : 

  • સૂર્યમંદિર (મોઢેરા)
  • ધીણોધર ડુંગર (કચ્છ)
  • પ્રાંતિજ (સાબરકાંઠા)

ગુજરાત ની સીમા :-

ઉત્તર દિશા : પાકિસ્તાન, રાજસ્થાન રાજ્ય
પૂર્વ દિશા : મધ્ય પ્રદેશ
દક્ષિણ-પૂર્વ દિશા : મહારાષ્ટ્ર
પશ્ચિમ-દક્ષિણ દિશા : અરબ સાગર

ગુજરાત નો સરહદી વિસ્તાર :-

  • રાજસ્થાન સાથે સરહદ ધરાવતા જિલ્લા : કચ્છ, બનાસકાંઠા, સાબરકાંઠા, અરવલ્લી, મહીસાગર, દાહોદ
  • મહારાષ્ટ્ર સાથે સરહદ ધરાવતા જિલ્લા : છોટાઉદેપુર, નર્મદા, તાપી, ડાંગ, નવસારી, વલસાડ.
  • મધ્ય પ્રદેશ સાથે સરહદ ધરાવતા જિલ્લા : દાહોદ, છોટાઉદેપુર 
  1. બનાસકાંઠા  જિલ્લો રાજસ્થાન રાજ્ય સાથે લાંબી તથા કચ્છ જિલ્લા સાથે ટૂંકી સરહદ ધરાવે છે.
  2. છોટાઉદેપુર મધ્ય પ્રદેશ રાજ્ય સાથે લાંબી તથા દાહોદ જિલ્લા સાથે ટૂંકી સરહદ ધરાવે છે
  3. તાપી જિલ્લો મહારાષ્ટ્ર સાથે લાંબી તથા નવસારી જિલ્લા સાથે ટૂંકી સરહદ ધરાવે છે.
  4. આંતરરાષ્ટ્રીય સરહદ ધરાવતો જિલ્લો : કચ્છ (512 કિમી.) 
  5. રાજસ્થાન અને મધ્ય પ્રદેશ - બે રાજ્યો સાથે સરહદ ધરાવતો         એકમાત્ર જિલ્લો : દાહોદ
  6. મધ્ય પ્રદેશ અને મહારાષ્ટ્ર - બે રાજ્યો સાથે સરહદ ધરાવતો એક માત્ર જિલ્લો : છોટાઉદેપુર
  7. સૌથી વધુ જિલ્લાઓ સાથે સરહદ ધરાવતા જિલ્લા : અમદાવાદ,  ખેડા, રાજકોટ, સુરેન્દ્રનગર જે  7 જિલ્લાઓ સાથે સરહદ ધરાવે છે. 
  8. એક જ જિલ્લા સાથે સરહદ ધરાવતો જિલ્લો : વલસાડ (વલસાડ નવસારી જિલ્લા સાથે સરહદ ધરાવે છે)

ગુજરાત નો દરિયાઈ વિસ્તાર :_

ગુજરાત ભારતનો સૌથી વધુ દરિયા કિનારો ધરાવતું રાજ્ય છે.
  • દરિયાકાંઠો : 1600 કિમી. (990 માઇલ) (28%) 
  • ગુજરાત માં દરિયાઈ કિનારો ધરાવતા જિલ્લા : 15 
  • 1.  કરછ-1 જિલ્લા (406 કિમી.) : જે સૌથી લાંબો દરિયા કિનારો ધરાવે છે. 
  • 2.  સૌરાષ્ટ્રના 8 જિલ્લા (843 કિમી.) : મોરબી, જામનગર, દેવભૂમિ દ્વારકા, પોરબંદર, જૂનાગઢ, ગીર સોમનાથ, અમરેલી, ભાવનગર
  • 3.  તળગુજરાતના 6 જિલ્લા (351 કિમી.) : અમદાવાદ, આણંદ, ભરૂચ, સુરત, નવસારી, વલસાડ
⇒ સૌરાષ્ટ્રનો સૌથી લાંબો દરિયાકિનારો દેવભૂમિ દ્વારકા તથા ટૂંકો દરિયાકિનારો મોરબી ધરાવે છે.
⇒ તળ ગુજરાતનો સૌથી લાંબો દરિયાકિનારો ભરૂચ તથા ટૂંકો દરિયાકિનારો નવસારી ધરાવે છે.

ગુજરાતના અખાત :

  •  બે (કચ્છનો અખાત અને ખંભાતનો અખાત)
જેમાં કચ્છના અખાતનો વિસ્તાર કચ્છના કોટેશ્વર થી દ્વારકાની ભૂશિર સુધી છે
ખંભાતનો અખાત ભાવનગરના ગોપનાથથી તાપી નદીના મુખ (ડુમ્મસ) સુધી વિસ્તરેલો છે. 
  • કુલ બંદરો : 49
  •  મેજર બંદર : 1 (કંડલા)
  •  કંડલા બંદર ભારતનું મુક્ત વેપાર ક્ષેત્ર છે.  

કંડલા બંદર સંબંધિત મહત્વની  સાલાવરી વર્ષ વિશેષતા :

  • 1955 મહાબંદર જાહેર કરવામાં આવ્યું.
  • 1965 SEZ - સ્પેશિયલ ઇકોનોમિક ઝોન જાહેર કરવામાં આવ્યું
  • 1968 EP7 - એક્ષપોર્ટ પ્રોસેસિંગ ઝોન જાહેર કરવામાં આવ્યું. 
  • 2017-‘પંડિત દીનદયાળ પોર્ટ' નામે ઓળખાયું.
  • ગુજરાત મેરીટાઈમ બોર્ડ
  • સ્થાપના : વર્ષ 1982
  • કંડલા બંદર સિવાયના બાકીનાં 48 બંદરોનો વહીવટ ગુજરાત મેરીટાઈમ બોર્ડ દ્વારા કરવામાં આવે છે.

















About the Author

नाम : संस्कृत ज्ञान समूह(Ashish joshi) स्थान: थरा , बनासकांठा ,गुजरात , भारत | कार्य : अध्ययन , अध्यापन/ यजन , याजन / आदान , प्रदानं । योग्यता : शास्त्री(.B.A) , शिक्षाशास्त्री(B.ED), आचार्य(M. A) , contact on whatsapp : 9662941910

ટિપ્પણી પોસ્ટ કરો

आपके महत्वपूर्ण सुझाव के लिए धन्यवाद |
(SHERE करे )
Cookie Consent
We serve cookies on this site to analyze traffic, remember your preferences, and optimize your experience.
Oops!
It seems there is something wrong with your internet connection. Please connect to the internet and start browsing again.
AdBlock Detected!
We have detected that you are using adblocking plugin in your browser.
The revenue we earn by the advertisements is used to manage this website, we request you to whitelist our website in your adblocking plugin.
Site is Blocked
Sorry! This site is not available in your country.