"કાવ્યાશિષ એકેડેમી" Education is a process in which and by which knowledge and behavior of a person are molded. About-Us Donate Now! YouTube Chanel

અવલોકન પદ્ધતિ (Observation Method)

અવલોકન પદ્ધતિ (Observation Method)

        અવલોકન પદ્ધતિને નિરીક્ષણ પદ્ધતિ પણ કહે છે વિદ્યાર્થીની સમસ્યાના મૂળમાં પહોંચવા તેના વાણી વિચાર અને વર્તનનો અભ્યાસ કરવો પડે છે. આવો અભ્યાસ કરવા તેના વર્તનનું નિરીક્ષણ કે અવલોક કરવાની જરૂર પડે છે. શાળા સમય દરમ્યાન અધ્યેતા વિવિધ પરિસ્થિતિમાંથી પસાર થાય છે. આ જુદ - જુદી પરિસ્થિતિમાં અધ્યેતા ચોક્કસ પ્રકારનું વર્તન કરે છે. આ વર્તનનું નિરીક્ષણ તેના વ્યક્તિત્વને ઓળખવામાં મદદરૂપ બને છે. આ વર્તનના અર્થઘટનના આધારે તેના વિકાસમાં મદદરૂપ થઈ શકે છે.

વિદ્યાર્થીવર્તનના પ્રત્યક્ષ અવલોકનના આધારે નિષ્કર્ષ પર પહોંચવાની આ અભ્યાસપદ્ધતિ ને અવલોકનપદ્ધતિ કહે છે. 

અવલોકન પદ્ધતિ (Observation Method)


અવલોકનના પ્રકારો :

અવલોકનની પરિસ્થિતિને આધારે તેના નીચે પ્રમાણે પ્રકારો પાડી શકાય છે.


અવલોકનના પ્રકારો


બાહ્ય નિરીક્ષણ


અંત: નિરીક્ષણ


સહભાગી


અસહભાગી


અનિયંત્રિત


નિયંત્રિત


ક્રમમાપદંડ (Rating scale)

ઓળખયાદી (Checklist)

પરિસ્થિતિ કસોટી (Situational lest)

સામાજિક્તામિતિ (Sociometry)

અંતઃ નિરીક્ષણ (Introspection)


મનોવૈજ્ઞાનિક 

કસોટીઓ



અંતઃ નિરીક્ષણ (Introspection)

        આ પદ્ધતિ અનુસાર વ્યક્તિ મનોભાવો જેવાકે આંતરિક સાંવેગિક વિચારો, ચિંતન, પ્રવૃત્તિઓનું સ્વરૂપ જાણવા માટે અંતર્મુખ બને છે. તે પોતાના મનોભાવો અને માનસિક સ્થિતિનું અવલોકન કરે છે સામાન્ય રીતે સ્વવિશ્લેષણમાં જ મોટેભાગે સ્વનિરીક્ષણ કરવામાં આવે છે. ટૂંકમાં આંતરનિરીક્ષણ/અંતઃનિરીક્ષણ એટલે વ્યક્તિએ તેના પોતાના મનની કામગીરી તરફ પદ્ધતિસર ધ્યાન આપવું તેમજ કામગીરીનું નિરીક્ષણ કરવું.

        માનવવર્તનના નિરીક્ષણ માટે આધુનિક પદ્ધતિઓ, અસ્તિત્વમાં નહોતી ત્યારે અંતઃનિરીક્ષણ વધુ મૂલ્યવાન પદ્ધતિ ગણાતી. કારણ કે તેવા સંજોગોમાં પણ વ્યક્તિ પોતે જ પોતાના આંતરમનની સાચી વાત કહેવા શક્તિમાન છે અન્ય નહીં. તેમ છતાં અહીં સાંવેગિક પરિસ્થિતિ પસાર થયા પછી તેનું નિરીક્ષણ થતું હોવાથી વિશ્વસનીય હોતું નથી,

બાહ્ય નિરીક્ષણ :

        અહી અવલોકન નિયંત્રિત પરિસ્થિતિમાં કરવામાં આવે છે. પ્રયોગકર્તા, પ્રયોગપાત્રથી અલગ રહીને નિરીક્ષણ કરતો હોવાથી તેને અસહભાગી અવલોકન કહે છે. વ્યક્તિના ભાષાપ્રયોગ અને અંગચેષ્ટાઓથી તેના વર્તનનો ખ્યાલ આવી શકે છે.

દા.ત.

કોઈ વ્યક્તિ જોરથી હથેળી પછાડે.

દાંત પીસીને બૂમ–બરાડા પાડે.

        ચહેરો લાલઘૂમ થઈ ત્યારે તેના વર્તનમાં ક્રોધ નિરખી શકાય છે. બાહ્ય નિરીક્ષણ પ્રયોગમાં મનોકસોટીઓ અને માપનના અન્ય સાધનો દ્વારા અવલોકન કરવામાં આવે છે.

 સહભાગી અવલોકન :

        જો નિરીક્ષક કે અવલોકનકર્તા પ્રયોગપાત્રને પોતાનું અવલોકન થઈ રહ્યું છે. એવો ખ્યાલ સુદ્ધાં ન આવે એ રીતે વિદ્યાર્થી કે વિદ્યાર્થીસમૂહમાં ભળી જઈને અવલોકન કરે તો તેને સહભાગી અવલોકન કહે છે. 

અસહભાગી અવલોકન :

        પ્રયોગપાત્રને નિરીક્ષણની પરિસ્થિતિમાં મૂકી જો નિરીક્ષક તેનાથી દૂર, અલગ અને તટસ્થ રહીને અવલોકન કરે તો તેને અસહભાગી અવલોકન કહે છે.

નિયંત્રિત અવલોકન : 

        જો પ્રયોગપાત્રને પ્રયોગની કસોટીની કોઈ ચોક્કસ પરિસ્થિતિમાં રાખીને તેનું અવલોકન કરાય તો તેને નિયંત્રિત અવલોકન કહે છે. 

અનિયંત્રિત અવલોકન : 

        જો પ્રયોગકર્તા પોતાનું અવલોકન થઈ રહ્યું છે. તેવી સભાનતા વિના મુક્ત પરિસ્થિતિમાં વર્તી રહ્યો હોય ત્યારે તે અવલોકનને અનિયંત્રિત અવલોકન કહ છે. 


અવલોકન પદ્ધતિના ફાયદા :

  • અવલોકન પદ્ધતિ ઘણી રીતે ઉપયોગી છે. તે નીચે જણાવેલ ફાયદા પરથી સ્પષ્ટ થાય છે. 
  • વ્યક્તિ સાથે પ્રત્યક્ષ ચર્ચા શક્ય બને છે.
  • વ્યક્તિને નિકટતાથી સમજવાની તક પ્રાપ્ત થાય છે.
  • વ્યક્તિ કે વ્યક્તિસમૂહો વિશેની પ્રત્યક્ષ માહિતી મળે છે.
  • વ્યક્તિના વાણી, વિચાર, વર્તન, મનોભાવો, વ્યક્તિત્વની માહિતી પ્રાપ્ય બને છે.
  • પ્રાપ્ત માહિતી સાચી, ઊંડાણભરી, અર્થપૂર્ણ અને વિશ્વસનીય હોય છે. 
  • શૈક્ષણિક સંશોધનો માટે અતિ અગત્યની પદ્ધતિ છે.
  • અલગ-અલગ પરિસ્થિતિમાં થયેલ અવલોકનના આધારે વિદ્યાર્થીઓના ગુણલક્ષણો જાણી યોગ્ય માર્ગદર્શનને આધારે તેનો વિકાસ શક્ય બને છે.
  • અવલોકન દ્વારા શિક્ષક વિદ્યાર્થીઓમાં રહેલી વ્યક્તિગત ભિન્નતા અંગે સભાન બને છે. 


અવલોકન પદ્ધતિની મર્યાદા :

  • અવલોકનકર્તા તટસ્થ રીતે અવલોકન ન કરે તો પદ્ધતિ નિરર્થક બને છે. 
  • અવલોકનકર્તાની ઇન્દ્રિયો સતેજ, સંવેદનશીલ હોવા જોઈએ તદ્ઉપરાંત પ્રત્યક્ષીકરણની ક્ષમતા પણ તીર હોવી જોઈએ. . 
  • પ્રયોગપાત્રના વર્તનની કઈ કઈ બાબતોનું નિરીક્ષણ કરવાની છે તેની સ્પષ્ટતા અવલોકનકર્તા પક્ષે જરૂર છે.
  • સહભાગી અવલોકનમાં પાત્રને તેમનું અવલોકન થઈ રહ્યાનું માલુમ પડતા વર્તન કૃત્રિમ બની જવા સંભાવના રહે છે.
  • અવલોકન માટેનાં પર્યાપ્ત આધુનિક સાધનો ઉપલબ્ધ ન હોય તો મુશ્કેલી પડે છે.
  • નિયંત્રિત અવલોકનો માટેનાં પત્રકો, કસોટીઓ અને સાધનો તૈયાર કરવાનું કામ અઘરું છે.









About the Author

नाम : संस्कृत ज्ञान समूह(Ashish joshi) स्थान: थरा , बनासकांठा ,गुजरात , भारत | कार्य : अध्ययन , अध्यापन/ यजन , याजन / आदान , प्रदानं । योग्यता : शास्त्री(.B.A) , शिक्षाशास्त्री(B.ED), आचार्य(M. A) , contact on whatsapp : 9662941910

ટિપ્પણી પોસ્ટ કરો

आपके महत्वपूर्ण सुझाव के लिए धन्यवाद |
(SHERE करे )
Cookie Consent
We serve cookies on this site to analyze traffic, remember your preferences, and optimize your experience.
Oops!
It seems there is something wrong with your internet connection. Please connect to the internet and start browsing again.
AdBlock Detected!
We have detected that you are using adblocking plugin in your browser.
The revenue we earn by the advertisements is used to manage this website, we request you to whitelist our website in your adblocking plugin.
Site is Blocked
Sorry! This site is not available in your country.