"કાવ્યાશિષ એકેડેમી" Education is a process in which and by which knowledge and behavior of a person are molded. About-Us Donate Now! YouTube Chanel

મુલાકાત પદ્ધતિ (Interview Method)

મુલાકાત પદ્ધતિ (Interview Method)

મુલાકાત પદ્ધતિ (Interview Method)

        વ્યક્તિ અભ્યાસ, વિકાસાત્મક અભ્યાસ, સર્વેક્ષણ કે અનુકૂલન સંબંધી માર્ગદર્શન અને વર્તનદોષોના અભ્યાસના સંદર્ભમાં ઘણીવાર વિદ્યાર્થી વિશે વિશદ્ માહિતીની જરૂર પડે છે. આવા સંજોગોમાં વિદ્યાર્થી, વિદ્યાર્થીસમૂહ કે વિદ્યાર્થીના માતા-પિતાની મુલાકાત લેવી જરૂરી બની જાય છે. જે માટે મુલાકાત પદ્ધતિનો ઉપયોગ થાય છે.

        વિદ્યાર્થીની કોઈ સમસ્યા, વર્તનદોષ કે વર્તનની સમજ અને ઉકેલ માટે સંબંધિત વ્યક્તિ પાસે રૂબર જઈ પ્રશ્નો પૂછીને માહિતી એકત્રિત કરવાની પ્રક્રિયા એટલે મુલાકાત.

 મુલાકાતના પ્રકારો :

1. વ્યક્તિગત મુલાકાત :- સંવેદનશીલ બાબતની મુક્ત ચર્ચા માટે જરૂરી

2. સામૂહિક મુલાકાત :- માર્ગદર્શન, સર્વેક્ષણ બાબતો માટે જરૂરી

3. નિયંત્રિત મુલાકાત :- પૂછવા માટેના પ્રશ્નો વગેરે અગાઉથી તૈયાર હોય 

4 અનિયંત્રિત મુલાકાત :- પ્રશ્નો વગેરે જરૂરિયાત અનુસાર મુક્ત રીતે પૂછાય.

મુલાકાત પદ્ધતિ (Interview Method)


નિયંત્રિત અને અનિયંત્રિત મુલાકાત વચ્ચેનો તફાવત :


નિયંત્રિત મુલાકાત

અનિયંત્રિત મુલાકાત

- તે વધુ વૈજ્ઞાનિક છે.
- તેમાં સમસ્યાની ઊંડાણપૂર્વક તપાસ શક્ય બનતી નથી.
- તેમાં ચર્ચા સામાન્ય સ્તરની અને વધુ ઔપચારિક રહે છે.
- તેમાં તારણો કાઢવાનું કામ સરળ બને છે.
- તેમાં પાત્રને કરાતું સંબોધન, સૂચના, પ્રશ્નો વગેરે ચોક્કસ એકના એક હોય છે. 
- આવી મુલાકાત કૃત્રિમતા ધરાવે છે.

- તે પ્રમાણમાં ઓછી વૈજ્ઞાનિક છે.
- તેમાં સમસ્યાની ઊંડાણપૂર્વક તપાસ દ્વારા પર્યાપ્ત માહિતી મેળવી શકાય છે.
- તેમાં ચર્ચા વ્યાપક સ્તરની અને વધુ અનૌપચારિક રહે છે.
- તેમાં તારણો મેળવવાનું કામ અઘરું છે. કારણ કે સંખ્યાત્મક પૃથક્કરણ તુલના અને સામાન્યીકરણ કરવામાં મુશ્કેલી પડે છે.
- પ્રારંભ, સંબોધન, સૂચના, પ્રશ્નો વગેરે પરિસ્થિતિને અનુરૂપ બદલવાં પડે છે. 
મુલાકાત સાહજિક હોય છે. પાત્રને પોતાના વિચાર મુક્ત રીતે રજૂ કરવા પ્રેરી શકાય છે.


મુલાકાતની પ્રક્રિયા :

મુલાકાતની પ્રક્રિયાની સોપાનો આ મુજબ છે

 (1) મુલાકાત માટેની પૂર્વતૈયારી

        અહીં મુલાકાત લેનારે પાત્ર વિદ્યાર્થી) વિશે કઈ માહિતી મેળવવાની છે, કેવા પ્રશ્નો પૂછવા, વચ્ચે ક્યાં સૂચનો કરવા જરૂરી છે, વિદ્યાર્થીના રસ, માન્યતા, પૂર્વાનુભવો વગેરે જેવાં અને કેટલા છે વગેરે વિશે પૂર્વમાહિતી મેળવે છે.

(2) મુલાકાતનો સમય અને અનુકૂળતા :

        અભ્યાસકર્તાએ જેની મુલાકાત લેવાની છે તેની મુલાકાત માટે પૂર્વસંમતિ મેળવી મુલાકાતનો બંનેને અનુકૂળ સમય નક્કી કરવો. અહીં પાત્રને મુલાકાતની તેમજ તે દ્વારા મેળવેલી માહિતીની ગોપનીયતા વિશે ખાતરી આપે છે

(3) સાયુજ્ય સ્થાપવું :

        અભ્યાસકર્તાએ મુલાકાત દરમ્યાન પોતે મહાન અને ઉચ્ચ છે તેવો અહેસાસ મુલાકાતીઓને થવા દેવો નહીં. મુલાકાત દરમ્યાન ખુશમિજાજ, સરળ છતાં ગંભીર રહેવું, વધુ પડતી લાગણી કે સહાનુભૂતિ પણ દર્શાવવી નહીં. ટૂંકમાં સામેના પાત્રો મુલાકાત દરમ્યાન આત્મીયતાથી વાતચીત કરવા પ્રેરાય તેવું વાતાવરણ સર્જવું.

(4) માહિતીપ્રાપ્તિની રીત :

મુલાકાત લેનાર અભ્યાસકર્તાએ મુલાકાત દરમ્યાન ધ્યાનમાં રાખવાની બાબતો.

  • ઉચિત માહિતી પૂછવાનું કૌશલ્ય હોવું
  • નાજુક પરિસ્થિતિની જાળવણી
  • ભાષાની ચોકસાઈ, પ્રસન્ન હાવભાવ અને મૃદુ અવાજ
  • ધ્યાનસંપન્ન સારા શ્રોતા બનવું.
  • લાગણીમાં ન તણાતા સ્વસ્થ ઊર્મિતંત્ર રાખવું.
  • પાત્રોના જવાબોને આધારે પ્રશ્નો પૂછવા, તેમજ
  • પ્રશ્ન ઊંડાણ કૌશલ્ય કેળવવું. પાત્ર દ્વારા થનાર સંભવિત વાફ છેતરપીંડીને પકડવાનું સાર્મથ્ય
  • થાકેલ, કંટાળેલ મુલાકાતની મુલાકાત રદ કરવી
  • પ્રાપ્ત માહિતીની યોગ્ય નોંધ કરવી.
  • સામાન્યથી ક્રમશઃ વેધક પ્રશ્નો તરફ ગતિ કરવી
  • આમ, યોગ્ય તૈયારી સાથે સોપાનવત્ જે તે પાત્રની મુલાકાત લેવાથી મુલાકાત અર્થસભર બને છે.


 મુલાકાત પદ્ધતિના ફાયદા 

  • વ્યક્તિના મૈત્રીભર્યા સાહચર્યનો લાભ મળે છે.
  • પાત્રને યોગ્ય પ્રેરણા પૂરી પાડી શકાય છે.
  • યોગ્ય અને જરૂરી સંપૂર્ણ માહિતી પ્રાપ્ત થઈ શકે છે.
  • પાત્રની અંગત કે ખાનગી માહિતી પણ મળી શકે છે.
  • પાત્રની માન્યતાઓ, સંવેગો અને લાગણી વિશે જાણી શકાય છે.
  • નાના બાળકો અને અભણ વ્યક્તિ પાસેથી પણ માહિતી મેળવી શકાય છે.
  • જરૂર પડે વધુ સ્પષ્ટતા માટે પરિસ્થિતિ અનુરૂપ પ્રશ્નોમાં ફેરબદલી કરી પ્રશ્નો પૂછી શકાય. 
  • અભ્યાસકર્તા પોતાની યોગ્ય વાતચીત, હાવભાવ અને ટીકા દ્વારા અગત્યની માહિતી મેળવી શકે છે. 
  • પાત્રની લાગણી અને ભાવો પર ઊંડાણભરી મુક્તચર્ચા થઈ શકે છે. 

મુલાકાત પદ્ધતિની મર્યાદાઓ :

  • વધુ સમય અને શક્તિ માંગી લે છે.
  • ટૂંકી મુલાકાતમાં પૂરતી અને સાચી માહિતીની પ્રાપ્તિ શકય બનતી નથી
  • બંને પક્ષે અપ્રસ્તુત ચર્ચાની સંભાવનાને કારણે સમયનો દુર્વ્યય થાય છે
  • મુલાકાત આપનાર વ્યક્તિ પોતાના હોદ્દા, દેખાવ, શિક્ષણથી કે વાકચાતુર્યથી અભ્યાસકર્તાને આંજી દઈ શકે અથવા તો તેથી ઊલટું પણ બની શકે છે.








About the Author

नाम : संस्कृत ज्ञान समूह(Ashish joshi) स्थान: थरा , बनासकांठा ,गुजरात , भारत | कार्य : अध्ययन , अध्यापन/ यजन , याजन / आदान , प्रदानं । योग्यता : शास्त्री(.B.A) , शिक्षाशास्त्री(B.ED), आचार्य(M. A) , contact on whatsapp : 9662941910

1 ટિપ્પણી

  1. બહુ જ સુંદર
आपके महत्वपूर्ण सुझाव के लिए धन्यवाद |
(SHERE करे )
Cookie Consent
We serve cookies on this site to analyze traffic, remember your preferences, and optimize your experience.
Oops!
It seems there is something wrong with your internet connection. Please connect to the internet and start browsing again.
AdBlock Detected!
We have detected that you are using adblocking plugin in your browser.
The revenue we earn by the advertisements is used to manage this website, we request you to whitelist our website in your adblocking plugin.
Site is Blocked
Sorry! This site is not available in your country.