"કાવ્યાશિષ એકેડેમી" Education is a process in which and by which knowledge and behavior of a person are molded. About-Us Donate Now! YouTube Chanel

સર્જનશીલ/સર્જનાત્મક બાળકો//Creative Children

સર્જનશીલ/સર્જનાત્મક બાળકો (Creative Children) :

સર્જનશીલ/સર્જનાત્મક બાળકો (Creative Children) :

        સર્જનાત્મકતા એ એક વિચાર કૌશલ્ય છે. સર્જનાત્મકતાનો પાયો વ્યક્તિની મૌલિક કલ્પનાશક્તિ હોય છે. સર્જનાત્મકતા એટલે કંઈક નૂતન સર્જન યા નૂતન રચના. પ્રવર્તમાન પરિસ્થિતિમાં બાળકોમાં શિક્ષણ દ્વારા સર્જનાત્મકતાનો ખાસ વિકાસ થતો નથી. પ્રવર્તમાન પરિસ્થિતિમાં સર્જનાત્મક વિચારશક્તિ, તર્કશક્તિ અને ચિંતનશક્તિનો બાળકમાં કેળવણી દ્વારા વિકાસ થાય તે અત્યંત જરૂરી છે. બાળકો જાતે કંઈક કરતાં શીખે, મૌલિક ચિંતન કરીને નવું સર્જન કરતાં શીખે એ અત્યંત મહત્ત્વનું છે. આ માટે શિક્ષણ એવું હોવું જોઈએ કે જે બાળકોની સર્જનાત્મક પ્રતિભાનો વિકાસ કરે. સામાન્ય રીતે જોવા મળ્યું છે કે બાળકો કોઈ એક ચોક્કસ ક્ષેત્રમાં સર્જનાત્મક હોય છે. 

    દા. ત. 

કોઈક વ્યક્તિ નવલકથાકાર તરીકે સર્જનાત્મક હોય તો કોઈક જીવશાસ્ત્રી તરીકે સર્જનાત્મક ન પણ હોય. ઘણાં અભ્યાસોનાં તારણો દર્શાવે છે કે વિવિધ ક્ષેત્રોમાં સર્જનાત્મકતા ધરાવતા લોકોમાં ઘણા સામાન્ય લક્ષણો હોય છે. આવાં બાળકો મૌલિક કલ્પનાશક્તિ, આત્મવિશ્વાસ અને શ્રેષ્ઠ જીજ્ઞાસાવૃત્તિ ધરાવે છે. શિક્ષણ દ્વારા બાળકોમાં રચનાત્મકતા, ચિંતનશક્તિ, પહેલવૃત્તિ અને તર્કશક્તિનો વિકાસ થાય છે. બાળકો જાતે શીખે, નવું સર્જન કરતાં શીખે તે માટે બાળકોને શિક્ષણ દ્વારા પૂરતી તક પૂરી પાડવી જોઈએ.

સર્જનશીલ/સર્જનાત્મક બાળકો (Creative Children) :


સર્જનશીલ બાળકોની સંકલ્પના :

    સર્જનાત્મક એ એક વિચાર કૌશલ્ય છે. સર્જનાત્મકતાનો પાયો વ્યક્તિની મૌલિક કલ્પનાશક્તિ હોય છે. આવાં બાળકો મૌલિક કલ્પનાશક્તિ, આત્મવિશ્વાસ અને શ્રેષ્ઠ જિજ્ઞાસાવૃત્તિ ધરાવે છે. શિક્ષણ દ્વારા બાળકોમાં રચનાત્મકતા, ચિંતનશક્તિ, પહેલવૃત્તિ અને તર્કશક્તિનો વિકાસ થાય છે. બાળકો જાતે શીખો, નવું સર્જન કરતાં શીખે તે માટે બાળકોને શિક્ષણ દ્વારા પૂરતી તક પૂરી પાડવી જોઈએ.

    સર્જનાત્મક એટલે રચનાત્મક કે ઉત્પાદન પણ કહી શકાય છે. ફાધર કામિલ બુલ્ક એ સર્જનાત્મક શબ્દના સમાનાર્થી રચનાત્મક, સર્જક શબ્દ આપ્યા જ્યારે ડૉ. રઘુવીરે સર્જન, ઉત્પન્ન કરવું અને સર્જન કરવું એવા આપ્યા છે. સમાજમાં દરેક કાર્ય કરનારાના કાર્યમાં સર્જનાત્મકતા દેખાય છે. ચિત્રકારો સરસ રંગ પૂરી શકે છે. ગીતકાર ગીતની રચના કરે છે. માનવજીવન સતત પરિવર્તનશીલ થઈ રહ્યું છે. એ પરિવર્તન સર્જનાત્મકતાને આભારી છે. .


(1) સર્જનાત્મકતા મૌલિક વિચારોને વ્યક્ત કરવાની માનસિક પ્રક્રિયા છે. • ક્રો અને ક્રો


(2) “જયારે કોઈ કાર્યનું પરિણામ નવીન મળે, જે કોઈ સમયે કોઈ સમૂહ દ્વારા ઉપયોગી છે તેવું માન્ય થાય તો તે કાર્ય સર્જનાત્મક કહેવાય.”  સ્ટેન


(3) “સર્જનાત્કમતા મુખ્ય રીતે નવીન રચના કે ઉત્પાદનમાં હોય છે.”• જેમ્સ ડ્રેવર


(4) “સર્જનાત્મકતા એક મૌલિક નીપજના સ્વરૂપમાં માનવ મનની ગ્રહણ કરવાની શક્તિ, અભિવ્યક્તિ અને ગુણાંકન કરવાની ક્ષમતા અને ક્રિયા છે.” -  • કોલ અને બ્રુસ


(5) “સર્જનાત્મક મૌલિકતા ખરી રીતે કોઈ પણ પ્રકારની ક્રિયામાં પ્રદર્શિત થાય છે.” -  પ્રા. રુશ.


સર્જનાત્મક વિચાર પ્રક્રિયાનાં સોપાનો :

કાગ્લે (1985) સર્જનાત્મક વિચાર પ્રક્રિયાનાં સોપાનોને મૂર્ત અને અમૂર્ત એમ બે ક્ષેત્રોમાં દર્શાવે છે. તેણે અમૂર્ત ક્ષેત્રમાં સર્જનાત્મક વિચાર પ્રક્રિયાના તબક્કાઓ આ પ્રમાણે દર્શાવ્યા છે.

 (1) ઓળખ : સમસ્યા અલગ પાડવામાં આવે છે અને તેને ઓળખવામાં આવે છે.

(2) ખુલ્લું કરવું ?  :  સમસ્યામાં વૈચારિક પ્રયોગો દ્વારા ઘણી નવી અંતઃસૂઝ ખુલ્લી થાય છે. 

(3) સંયોગીકરણ : ખુલ્લી થયેલી અંતઃસૂઝમાં વૈચારિક પ્રયોગો અને અંતઃસૂઝના સંયોગીકરણ દ્વારા આનંદદાયક અમૂર્ત સ્વરૂપમાં બહાર આવે છે.

 (4) મૂલ્યાંકન : અમૂર્ત ક્ષેત્રમાં સર્જનને આખરી સમય માટે મૂલવવામાં આવે છે. 

(5) ખાતરી કરવી : અમૂર્ત ક્ષેત્રમાં સર્જનને તેની યથાર્થતા માટે મગજમાં આખરી સમય માટે મૂલવવામાં આવે છે. સર્જન યથાર્થ જણાય તો તે મૂર્ત ક્ષેત્રમાં સંક્રમિત કરવામાં આવે છે. 

સર્જન અમૂર્ત ક્ષેત્રમાંથી મૂર્ત ક્ષેત્રમાં સંક્રમિત થયા બાદ વિચારનાં પ્રત્યેક તબક્કામાં સર્જનાત્મક માનસિક પ્રક્રિયા અરૈખિકમાંથી રૈખિક બને છે. મૂર્ત ક્ષેત્રમાં વિચાર પ્રક્રિયાના તબક્કાઓ આ પ્રમાણે છે. 

(1) ઓળખ : સર્જનનું તાર્કિક રીતે પૃથક્કરણ કરવામાં આવે છે.

(2) ખુલ્લું કરવું ? :  સર્જનના અમૂર્ત સ્વરૂપને મૂર્ત સ્વરૂપ સુધી સીમિત કરવામાં આવે છે. છતાં મૂર્ત સ્વરૂપ તદન સ્પષ્ટ થતું નથી.

(3) સંયોગીકરણ : મગજમાં સર્જનનું તાર્કિક રીતે સંપૂર્ણ મૂર્ત સ્વરૂપમાં સંયોગીકરણ કરવામાં આવે છે. 

(4) મૂલ્યાંકન : સર્જનને મનમાં મૂલવવામાં આવે છે. :

(5) ખાતરી કરવી: સર્જનને તેની યથાર્થતા માટે મૂલવવામાં આવે છે. જો તે યથાર્થ જણાય તો મૂર્ત ભૌતિક સ્વરૂપમાં મોકલવામાં આવે છે કે જયાં તેને મૂલવવામાં આવે છે. વિસ્તૃત કરવામાં આવે છે અને ભૌતિક રીતે ચકાસવામાં આવે છે. .

આ સર્જન અમૂર્ત સ્વરૂપે અમૂર્ત ક્ષેત્રમાંથી બહાર આવે છે. એ તબક્કે સર્જક સિવાય કોઈ તેને સમજી શકતું નથી. તે જયારે મૂર્ત સ્વરૂપે મૂર્ત ક્ષેત્રમાં વ્યવસ્થિત રીતે રૂપાંતર પામે છે ત્યારે જ બીજા તેને જાણી શકે છે.


સર્જનશીલ બાળકોનાં લક્ષણો :

1) સર્જનાત્મક બાળકોના વિચારોમાં પ્રવાહિતા, મૌલિકતા, લચીલાપણું (લવચીકતા), કલ્પનાત્મકતા, સમસ્યાઓ પ્રત્યેની સંવેદનશીલતા અને હદનું વિસ્તૃતીકરણ જોવા મળે છે.

(2) તેઓ નવીનતા પ્રત્યે જાગૃત હોય છે.

(3) પ્રવર્તમાન વિચારોને જેમના તેમ સ્વીકારી લેવાને બદલે નવા વિચારો ઘડે છે. 
(4) પોતાના પ્રવર્તમાન જ્ઞાનનો નવા વિચારોના આધાર તરીકે ઉપયોગ કરે છે. 
(5) સ્થાપિત ધોરણો અને ધારણાઓ પ્રત્યે પ્રશ્નો ઉઠાવે છે.
(6) પ્રવર્તમાન વિચારોને જેમના તેમ સ્વીકારી લેવાને બદલે નવા વિચારો ઘડે છે. 
(7) તેઓ પ્રકૃતિ સાથે વધુ તાદામ્ય ધરાવતા હોય છે. પ્રાસંગિક સત્યો અને વિચાર સાથે અનુકૂલન સાધી શકે છે.

(8) તેઓનાં વિચારોમાં સ્વતંત્રતા, આત્મવિશ્વાસ, કુતૂહલ, નવા અનુભવો માટે ખુલ્લું મન, સ્વયંસ્કુરિતતા, કાર્ય માટેની પ્રતિબદ્ધતા, સતત કાર્ય પરાયણતા, જોખમ લેવાનું વલણ, સાહસિકતા, ચિંતનશીલતા, સંકુલ વિચારો પ્રત્યેનું આકર્ષણ જેવા ગુણો.

(9) તે રમતિયાળ, મજાકીયા અને વર્તનમાં બિનપરંપરાગત હોય છે.

(10) તેઓમાં અતૂટ સ્નેહ, તીવ્ર બુદ્ધિક્ષમતા, વિશેષ કાર્યક્ષમતા, અહંકારનો અભાવ, નેતૃત્વ શક્તિ, મેઘાવીપણું, નિખાલસતા, ઉચ્ચકલા યોગ્યતા, એકાંતપ્રિયતા, ઉચ્ચ શાબ્દિક અભિયોગ્યતા, આંતરસૂઝ વિચારશીલતા, સતત આગળ વધવાની ઝંખના, પહેલવૃત્તિ, સમસ્યા નિરાકરણ શક્તિ, અમૂર્ત વિષયોમાં રૂચિ, સહકારની ભાવના, સામાન્ય જ્ઞાનમાં શ્રેષ્ઠતા જોવા મળે છે.

(11) સ્થાપિત ધોરણો અને ધારણાઓ પ્રત્યે પ્રશ્નો ઉઠાવે છે.

    ઉપરોક્ત લક્ષણોની યાદીનો ઉપયોગ કરીને શિક્ષક તેના વર્ગને ઊંચી સર્જનાત્મક ક્ષમતા ધરાવતાં બાળકોને ઓળખી શકે છે.


સર્જનશીલ બાળકોનું શિક્ષણ અને માર્ગદર્શન (Education and Guidance for Creative Children): 


  • સર્જનશીલ બાળકો પોતાની આપમેળે પ્રવૃત્તિ કરવા પ્રેરાવા જોઈએ.
  • માનસિક ખુલ્લાપણું હોવું જોઈએ, પોતાની સાથે અન્યના મતોની સ્વીકૃતિ માટેની નિખાલસતા જોઈએ. 
  • આવાં બાળકોની રચનાત્મક કૃતિ માટે પ્રોત્સાહક ઇનામો આપવાં જોઈએ.
  • બાળકોમાં મૌલિકતા વિકસે તે માટે દર્શનીય સ્થળોની મુલાકાતો, પ્રયોગો અને સમાજસેવાની તકો પૂરી પાડવી જોઈએ.
  • શાળામાં સ્વયંશિક્ષણ દિન, રાષ્ટ્રીય તહેવારોની ઉજવણી, શિક્ષક દિન, મહાપુરૂષોની જન્મજયંતિઓ વગેરેની ઉજવણીમાં આવાં બાળકોને સામેલ કરવાં જોઈએ.
  • આવા બાળકની સર્જનાત્મકતા ચીમળાઈ ન જાય તેની શિક્ષકે સતત તકેદારી રાખવી જોઈએ. 
  • શિક્ષકોએ તેમનામાં એવાં કૌશલ્યોનો વિકાસ કરવો જોઈએ કે જેથી તેમની સર્જનશક્તિઓ ખીલી ઊઠે. .
  • સર્જનશીલ બાળકો સમક્ષ નિશ્ચિત ધ્યેયો કે લક્ષ્યાંકો રજૂ કરવા જોઈએ. તેઓ સર્જનાત્મકતા તરફ પ્રતિબદ્ધ થાય તેવું વાતાવરણ સર્જવું જોઈએ. સર્જનશીલતા તેમના જીવનનું ધ્યેય બની રહેવું જોઈએ.
  • શિક્ષકોએ તેમને મુશ્કેલીઓ અને નિષ્ફળતાઓનો સામનો કરતાં શીખવવું જોઈએ. તેમનામાં એવા ગુણો અને આત્મવિશ્વાસ પ્રેરવા જોઈએ કે જેથી તે ગમે તેવી નિષ્ફળતાઓ અને ગમે તેવા અવરોધોનો સફળતાપૂર્વક સામનો કરી શકે.
  • શાળામાં નિયમિત રીતે પુસ્તકાલય સેવા અને સહઅભ્યાસ પ્રવૃત્તિઓનું આયોજન અને સંચાલન થવું જોઈએ.
  • સર્જનશીલ બાળકોનું માનસિક સ્વાથ્ય ઊંચા પ્રકારનું હોવું જોઈએ.
  • સર્જનશીલ બાળકો બીજા બાળકો કરતાં વિશિષ્ટ છે, તેમનામાં કેટલી મહત્તાઓ છે, તેનો પરિચય હોવો જોઈએ. 
  • નિબંધ લેખન સ્પર્ધા, પાદપૂર્તિ સ્પર્ધા, શીધ્ર ચિત્ર સ્પર્ધા, ગીતગુંજન સ્પર્ધા, મહેંદી સ્પર્ધા, કેશગુંફન સ્પર્ધા, રંગોલી સ્પર્ધા, વર્ગ સુશોભન સ્પર્ધા, કાવ્યપઠન સ્પર્ધા વગેરે સ્પર્ધાઓનું આયોજન વિદ્યાર્થીઓનું જૂથ બનાવીને કરવું જોઈએ તેમજ વિજેતાઓને પ્રોત્સાહન મળે તે માટે ઇનામની જોગવાઈ કરવી જોઈએ 
  • શિક્ષકે વિદ્યાર્થીઓનું તટસ્થ મૂલ્યાંકન કરવાની શક્તિ વિકસાવવી જોઈએ, જેથી વિદ્યાર્થીની સર્જનશક્તિ વિકસવા માટે પૂરતી તક મળે.
  • વિદ્યાર્થીઓ માટે માર્ગદર્શન સેવા કેન્દ્ર, વિદ્યાર્થી પુસ્તક ભંડાર, સમાજસેવા, N.S.S. અને N.C.C. તાલીમ જેવી વિવિધ પ્રવૃત્તિઓનું આયોજન કરવું જોઈએ.
  • અન્ય વ્યક્તિઓ સાથે ઉષ્માપૂર્ણ પારસ્પરિક સંબંધો કેળવવા જોઈએ. તેમની સર્જનાત્મકતા કેળવાઈ શકે સર્જનશીલ બાળકોમાં રહેલ સર્જનાત્મક અંશોને યોગ્ય માર્ગ વાળવા જોઈએ. તેમનું અન્ય વ્યક્તિઓ કે સંસ્થાઓ દ્વારા શોષણ ન થવું જોઈએ.
  • સર્જનશીલ બાળકો સર્જનાત્મકતા તરફ પ્રતિબદ્ધ થાય તેવું વાતાવરણ ઊભું કરવું જોઈએ. તેમની સમક્ષ ચોક્કસ ધ્યેયો કે લક્ષ્યાંકો રજૂ કરવાં જોઈએ.
  • શિક્ષકોએ તેમનામાં એવાં કૌશલ્યોનો વિકાસ કરવો જોઈએ કે તેમનામાં તંદુરસ્ત જાતીય વલણોનો વિકાસ થાય. કેટલીકવાર આવાં બાળકો અત્યંત સંવેદનશીલ અને ઋજુ સ્વભાવના હોય છે. તેમની યોગ્ય સંભાળ લેવી જોઈએ.
  • સર્જનાત્મકતા ધરાવતાં બાળકોને વિશેષ સહાય અને માર્ગદર્શન આપી તેમની સર્જનશીલતા વિકસાવવામાં માતા-પિતા, શિક્ષકો અને આચાર્યશ્રીએ મદદ કરવી જોઈએ.
  • આવાં બાળકોનાં અલગ-અલગ વિષયનાં જૂથો બનાવવાં, જેમાં વિદ્યાર્થીઓ ચર્ચા કરે, નાટ્ય પ્રવૃત્તિનું આયોજન કરે, નાટકની સ્ક્રીપ્ટ તૈયાર કરે, કવિતાની ચર્ચા કરે, બુલેટિન બોર્ડની સજાવટ કરે, વર્ગ પુસ્તકાલય સેવાનું સંચાલન કરે, ચર્ચાસભાઓ ગોઠવે, પ્રદર્શન, આનંદમેળો, શિબિર, સ્કાઉટીંગ, સહકારી ભંડારો તેમજ સામૂહિક કાર્યો કરે. આવી વિવિધ પ્રવૃત્તિઓ દ્વારા બાળકોની સર્જનાત્મક શક્તિમાં વધારો થાય.
  • આવાં બાળકોની સર્જનશીલતા પિછાણી તે પ્રકારનાં તેમનાં કૌશલ્યોનો વિકાસ થાય તેવી તકેદારી રાખવી જોઈએ. તેમને આપમેળે પ્રવૃત્તિ કરવા સતત પ્રેરણા આપવી જોઈએ.
  • સર્જનશીલ બાળકો સાથે લોકશાહીપૂર્ણ વ્યવહાર દાખવી તેઓને પ્રેમ, હૂંફ અને સહાનુભૂતિ યોગ્ય માત્રામાં આપવાં, જેથી આવાં બાળકો વિવિધ પડકારોનો સફળતાપૂર્વક સામનો કરી શકે.
  • આવાં બાળકોને તેમની કક્ષાનાં સામાન્ય બાળકોથી વધુ જુદાં પાડવાં જોઈએ નહીં. જો તેમને અલગ તારવવામાં આવે તો કેટલીકવાર આત્મવિશ્વાસ ગુમાવીને અલગ પડી જાય છે. તેમને સામાન્ય બાળકોનાં પ્રવાહથી તદ્દન અલગ પાડવા જોઈએ નહીં. ખૂબ સંભાળ અને જનતપૂર્વક તેમને સાહજિક બનાવવાં જોઈએ.
  • ક્યારેક આવાં બાળકો અજ્ઞાત ચિંતા અને ભયનો ભોગ બને છે. આવાં બાળકોને શિક્ષકોએ આત્મવિશ્વાસ પ્રેરીને ચિંતામુક્ત અને ભયમુક્ત કરવાં જોઈએ.
  • આવાં સર્જનશીલ બાળકો સમક્ષ ચોક્કસ ધ્યેયો કે લક્ષ્યાંકો રજૂ કરવાં જોઈએ. તેઓ સર્જનાત્મકતા તરફ પ્રતિબદ્ધ થાય તેવું વાતાવરણ સર્જવું જોઈએ. સર્જનશીલતા તેમના જીવનનું મિશન બની રહેવું જોઈએ.
  • તેની સર્જનાત્મકતા ચીમળાઈ ન જાય તેની શિક્ષકે સતત તકેદારી રાખવી જોઈએ. 
  • કેટલીકવાર આકસ્મિક રીતે બાળકોમાં સર્જનાત્મકતા હોરી ઉઠે છે. શિક્ષકે આવી તકનો ભરપૂર પ્રમાણમાં ઉપયોગ કરવો જોઈએ.
  • તેમનામાં રહેલા સર્જનાત્મક અંશોને યોગ્ય માર્ગે વાળવા જોઈએ. તેમનું કોઈ પણ રીતે અન્ય વ્યક્તિઓ કે સંસ્થાઓ દ્વારા શોષણ ન થવું જોઈએ.
  • સર્જનશીલ બાળકોમાં તંદુરસ્ત જાતીય વલણોનો વિકાસ થાય તે ધ્યાનમાં રાખવું જોઈએ. કેટલીકવાર આવાં બાળકો અત્યંત સંવેદનશીલ અને ઋજુ સ્વભાવના હોય છે. તેમની યોગ્ય સંભાળ લેવી જોઈએ. 
  • આવાં બાળકો ક્યારેક એકાંતપ્રિય હોય છે. તેઓ ક્યારેક અતડાં પડી જાય છે. આ પરિસ્થિતિમાં તેઓ સમસ્યાત્મક વર્તન કરતાં ન થાય તે જોવાવું જોઈએ. આ માટે તેમના વાલીઓનો યોગ્ય સંપર્ક સાધી તેમને માર્ગદર્શન આપવું જોઈએ.
  • ખૂબ ઊંચી સર્જનાત્મકતા ધરાવતાં બાળકો અતડાં પડી જાય છે. તેઓ સામાજિક સભાનતા કેળવી શકતાં નથી. તેમનો સામાજિક વિકાસ ક્યારેક રૂંધાતો જોવા મળે છે. આવાં બાળકો અન્ય બાળકો સાથે અને સમાજમાં મુક્તપણે હળી મળી શકે તે માટે તેમને સામૂહિક સામાજિક પ્રવૃત્તિઓમાં પણ સંલગ્ન કરવાં જોઈએ. આથી તેમનું સામાજિક પ્રત્યાયન વધવા સંભવ છે.


    આમ, અધ્યાપનનું આયોજન એવી રીતે કરવું જોઈએ કે જેનાથી બાળકોને કોઈ પણ સમસ્યાનો એક જ ઉકેલ શોધવાને બદલે સમસ્યાના ઉકેલ માટે નવી શક્યતાઓ અને વૈકલ્પિક ઉકેલો શોધવા માટે પ્રેરણા મળે, તેમજ આવાં બાળકોને શિક્ષણ આપનાર શિક્ષકમાં ભરપૂર આત્મવિશ્વાસ, પહેલવૃત્તિ અને જિજ્ઞાસાવૃત્તિ હોવા જોઈએ. તેમણે વિદ્યાર્થી પ્રત્યે વૈર્યપૂર્ણ અને સહાનુભૂતિપૂર્ણ વ્યવહાર કરવો જોઈએ. તો જ આવાં બાળકોને ઉચિત ન્યાય અને યોગ્ય માર્ગદર્શન મળી રહે.








About the Author

नाम : संस्कृत ज्ञान समूह(Ashish joshi) स्थान: थरा , बनासकांठा ,गुजरात , भारत | कार्य : अध्ययन , अध्यापन/ यजन , याजन / आदान , प्रदानं । योग्यता : शास्त्री(.B.A) , शिक्षाशास्त्री(B.ED), आचार्य(M. A) , contact on whatsapp : 9662941910

ટિપ્પણી પોસ્ટ કરો

आपके महत्वपूर्ण सुझाव के लिए धन्यवाद |
(SHERE करे )
Cookie Consent
We serve cookies on this site to analyze traffic, remember your preferences, and optimize your experience.
Oops!
It seems there is something wrong with your internet connection. Please connect to the internet and start browsing again.
AdBlock Detected!
We have detected that you are using adblocking plugin in your browser.
The revenue we earn by the advertisements is used to manage this website, we request you to whitelist our website in your adblocking plugin.
Site is Blocked
Sorry! This site is not available in your country.