"કાવ્યાશિષ એકેડેમી" Education is a process in which and by which knowledge and behavior of a person are molded. About-Us Donate Now! YouTube Chanel

માતા અથવા પિતા (single parent) સાથે રહેતાં બાળકો//Children living with a single parent

માતા અથવા પિતા (single parent) સાથે રહેતાં બાળકો//Children living with a single parent

માતા અથવા પિતા (single parent) સાથે રહેતાં બાળકો :

    માતા પિતા બનવું અને જવાબદાર મા-બાપ તરીકેની ભૂમિકા અદા કરવી બંને ભિન્ન બાબતો છે. બાળ ઉછેરની ઘણી મોટી જવાબદારી માતા-પિતાના શિરે રહે છે. પંરતુ માતા અથવા પિતા એકલા તેના બાળક સાથે રહે છે અને તેના ઉછેર કરવાનો થાય છે ત્યારે આ જવાબદારી પડકારનજક બની જાય છે. બાળકનો સાચા અર્થમાં અને સર્વદેશીય વિકાસ કરવા માટે એકલા રહેતા માતા અથવા પિતાની પોતાની સમસ્યાઓ અને તેના કારણે બાળકને પડતી મુશ્કેલીઓની ચર્ચા આપણે કરીશું.

સૌ પ્રથમ માતા અથવા પિતા એકલા શા માટે રહે છે તે જોઈએ.

માતા અથવા પિતા (single parent) સાથે રહેતાં બાળકો :


બાળકને તેના માતા અથવા પિતામાંથી એક સાથે રહેવા માટે નીચેનાં કારણો જવાબદાર છે. 

  • કોઈ કારણોસર બાળક થયા પછીથી દાંપત્યમાં છૂટાછેડાના પ્રસંગો બને ત્યારે બાળકો કોઈ એક સાથે રહેવાનું થાય છે.
  • ત્યક્તા અથવા એવી માતા જેને શ્વસુર ગૃહેથી કે પીયર પક્ષથી ત્યાગી દેવામાં આવી હોય, અને તેને બાળક હોય.
  • પિતાના મૃત્યુ પછી બાળકે વિધવા માતાની સાથે રહેવાનું થાય.
  • કોર્ટ-કચેરીનાં કેસો ચાલતા હોય ત્યારે બાળકે તેના માતા-પિતામાંથી કોઈ એક સાથે રહેવાનું બને. 
  • માતા અને પિતાની નોકરીના સ્થળો અલગ હોય અને બંનેએ ભેગા રહેવાનું શક્ય ન હોય ત્યારે કોઈ એક સાથે બાળકને રહેવાનું થાય.
  • ક્યારેક યુદ્ધમાં કે બિમારીમાં છે માતૃત્વ દરમિયાન મૃત્યુ થાય ત્યારે જિવિત માતા અથવા પિતા એટલે Single parent એ ખ્યાલ હવે બહુ જૂનો છે. અત્યારે અન્ય ઘણાં પરિબળોના પરિણામે બાળકને માતા અથવા પિતા બે માંથી કોઈ એક સાથે રહેવાની જરૂરિયાત ઉદ્દભવે છે.


    માતા પાસે મમત્વ છે. તો પિતા પાસે શિસ્ત, અપેક્ષાઓ અને ક્યારેક સખ્તાઈ પણ હોય છે અને એમ પૂર્ણ વિકાસ શક્ય બને છે. પરંતુ એક માતા યા પિતા સાથે રહેતા બાળકને બંનેમાંથી એકની ઉણપ વર્તાય છે. તેને આ ઉણપની પ્રતિતિ ન થાય તે માટે શિક્ષક, શાળા અને માતા અથવા પિતાએ કેટલીક બાળકોની નોંધ લઈને તે બાળક સાથે વ્યવહાર કરવો ઘટે.

માતા અથવા પિતા સાથે રહેતાં બાળકોની કાળજી માટે માર્ગદર્શન :

કાર્યભાર અને જીવનશૈલીનું સંતુલન જાળવવું.

        માતા યા પિતા તરીકે એકલા રહેવું અને જીવનનિર્વાહ ચલાવવા માટે વ્યવસાય અથવા નોકરી કરવી અનિવાર્ય અને જરૂરી હોય છે. આવા સંજોગોમાં નોકરી માટે આવશ્યક સમય અને ચોકસાઈ જાળવવાં પડે છે. કેટલીક સંસ્થાઓ લવચિક હોય છે. સમય કરતાં કામની ગુણવત્તા અને કર્મચારીની પ્રતિબદ્ધતા જુએ છે. તો કેટલીક સંસ્થાઓ કર્મચારી ચોક્કસ માળખામાં રહીને સમય મર્યાદામાં જ કામ કરે એમ ઈચ્છે છે. બાળક સાથે એકલા રહેતા માતા અથવા પિતાએ નોકરીની અને બાળઉછેરની બેવડી ભૂમિકા ભજવવાની રહે છે. તે માટે મનોચિકિત્સક Leah Kluginess કહે છે કે, “માતા અથવા પિતાએ આ માટે ચોક્કસ Support System ઊભી કરવી ધટે.




About the Author

नाम : संस्कृत ज्ञान समूह(Ashish joshi) स्थान: थरा , बनासकांठा ,गुजरात , भारत | कार्य : अध्ययन , अध्यापन/ यजन , याजन / आदान , प्रदानं । योग्यता : शास्त्री(.B.A) , शिक्षाशास्त्री(B.ED), आचार्य(M. A) , contact on whatsapp : 9662941910

ટિપ્પણી પોસ્ટ કરો

आपके महत्वपूर्ण सुझाव के लिए धन्यवाद |
(SHERE करे )
Cookie Consent
We serve cookies on this site to analyze traffic, remember your preferences, and optimize your experience.
Oops!
It seems there is something wrong with your internet connection. Please connect to the internet and start browsing again.
AdBlock Detected!
We have detected that you are using adblocking plugin in your browser.
The revenue we earn by the advertisements is used to manage this website, we request you to whitelist our website in your adblocking plugin.
Site is Blocked
Sorry! This site is not available in your country.